એક પુત્ર અમેરિકામાં નોકરી કરે છે. તેના માતાપિતા નાના શહેરમાં રહે છે એકલા છે બીમાર છે લાચાર છે . માતાપિતા પુત્રની સખત જરૂર છે જ્યાં પુત્રની જરૂર છે ત્યાં પૈસા કામ નથી આવતા પુત્ર પાછો આવતો નથી એના બદલે તેના પિતાજીને એક પત્ર લખે છે પુત્રનો પત્ર પિતાના નામ પર પુત્ર લખે છે.
પૂજય પિતાજી
આપના આશીર્વાદથી આપની ભાવનાઓ અને ઇચ્છાઓ અનુસાર હું અમેરિકામાં વ્યસ્ત છું અહીં પૈસા બંગલો સાધનો સુવિધા બધું જ છે ફક્ત સમય નથી.
આપને મળવાનું બહુ મન થાય છે ઇચ્છા થાય છે કે આપની પાસે બેસીને વાતો કરું આપના દુઃખ દર્દને વહેંચી શકું પરંતુ બાળકોના અભ્યાસની મજબુરી, ઓફિસનું કામ,હું શું કરું? હું ઇચ્છા હોવા છતાં સ્વર્ગ જેવી જન્મભુમિ અને દેવતુલ્ય માતા પિતા પાસે આવી શકતો નથી.
પિતાજી મારી પાસે અનેક સંદેશ આવે છે
" માતા પિતા જીવનભર અનેક કષ્ટો સહન કરીને પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવે છે અને બાળકો માં બાપને છોડી વિદેશ જતા રહે છે.
પણ પિતાજી હું બચપણમાં ક્યાં જાણતો હતો કે વિદેશમાં ઉચ્ચતર ભણવાનું શું હોય છે? મને શું ખબર હતી જે પૈસાની કિંમત શું હોય છે? મને ક્યાં ખબર હતી કે અમેરિકા ક્યાં છે? યોગ્યતા, નામ, પૈસા, સુવિધા અને અમેરિકા વિગેરે તો હું આપના ખોળામાં બેસીને જ સમજ્યો હતો ને?
આપે જ મને ગુજરાતી સ્કુલમાં ના મોકલીને કોન્વેટ સ્કુલમાં મોકલ્યો. રમતના મેદાનમાં નહી કોચિંગમાં મોકલ્યો, આપે પોતાના મનમાં દબાયેલી ઇચ્છાઓ પુરી કરવા રાત દીવસ સમજાવ્યું કે વિદેશમાં ઉચ્ચતર શિક્ષણ , પૈસા, પદ, સબંધીઓ નામની વેલ્યુ શું હોય છે.
માએ પણ દુધ પીવડાવતા રોજ વારંવાર રટણ કર્યું હતું કે મારો રાજા બેટો મોટો માણસ બનશે, હવામાં ઊડશે! કહ્યું હતું ને મારી લૌકિક ઉન્નતિ માટે, જાણે કેટલાય મંદિરોમાં ઘીના દિવા પ્રગટાવ્યા હતા.
મારા પુજ્ય પિતાજી હું બસ આપણે એટલું પૂછવા માંગુ છું કે સંવેદના શૂન્ય મારું જીવન આપણું જ બનાવેલું છે
હું આપણી સેવા કરી શકતો નથી.પૌત્ર પૌત્રીઓ હોવા છતા એમની સાથે રમવાનું સુખ આપી શકતો નથી. હું ઇચ્છા હોવા છતા પુત્રધર્મ નિભાવી શકતો નથી.
હું હજારો કિલોમીટર દુર બંગલા ગાડી અને જીવનની દરેક સુખ સુવિધા ભોગવી રહ્યો છું અને આપ પુત્રના વિરહમાં અભાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છો.
શું આ હાલત માટે હું એકલો જ જવાબદાર છું?
આપનો પુત્ર
હવે આ નિર્ણય દરેક માં બાપને કરવાનો છે કે પોતાનું પેટ કાપી કાપીને, તકલીફો સહન કરીને પોતાના બધા જ શોખ ભુલીને બાળકોના સુંદર ભવિષ્યના સપના શું આ જ દિવસો માટે જુએ છે?
શિક્ષા શિક્ષણ અંત્યત મહત્વપૂર્ણ છે પણ સાથે નૈતિક મૂલ્યોની શિક્ષા રાષ્ટ્ર પ્રેમ અને સંસ્કાર પણ એટલા જ જરૂરી છે શું ખરેખર આપણે કોઈ ભુલ તો નથી કરી રહ્યા ને?
વાત ખરેખર વિચારવા જેવી છે મુદ્દો મનન અને ચિંતનીય છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫