રાજકોટ જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર ડો. ઓમ પ્રકાશને આવકારતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજ્યના 13 આઈ એ એસ અધિકારીઓની બદલી થઈ હતી જે પૈકી રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે ડો. ઓમ પ્રકાશની જુનાગઢથી બદલી થઈ અને રાજકોટ મુકવામાં આવતાં આ નિમણુંકને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી હતી ડો. ઓમ પ્રકાશ જુનાગઢ મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યાથી તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી જે પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની રાજયના ટુરિઝમ એમ ડી તરીકે ફરજ પર મુકવામાં આવ્યા છે 2016ની બેંચના ડો.ઓમ પ્રકાશને રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ સોંપવામાં આવતાં જસદણ પંથકમાં ઠેર ઠેરથી આવકાર સાંપડ્યો છે.
Tags:
News