હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના રામળીયા ગામે કનેસરા ગામના યુવાન ઉપર ૩ વ્યાજખોરોએ પાઇપ-ધોકા સાથે હુમલો કરતા યુવાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયો છે.
મળતી વિગતો મુજબ જસદણના કનેસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિલીપ છગનભાઇ પરમાર (ઉ.વ. ૪૦) રામળીયા ગામે તેના ફૈબાના ઘરે જમવા ગયો હતો ત્યારે આરોપી અનીલ, રવજી અને ગીરીશે ધોકા-પાઇપ સાથે હુમલો કરતા દિલીપને ગંભીર ઇજા થતા રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડયો છે.
ઇજાગ્રસ્ત દિલીપે આરોપઓ પાસેથી ૬૦ હજાર ૧૦ ટકા દરે વ્યાજે લીધા હતા અને વ્યાજ સહિતની રકમ છ મહિના પહેલા ચુકવી દિધા હોવા છતા આરોપીઓએ મુદલ ૬૦ હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હુમલો કર્યો હતો આ અંગે દિલીપ પરમારએ ઉકત ત્રણેય વ્યાજખોર સામે ફરીયાદ કરતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.