વિશ્વ રક્તદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને રક્તદાતા વિજયભાઈ રાઠોડએ આગામી વિશ્વ રક્તદાતા દિવસની લોકોને આગોતરી શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ છે આ દિવસનો મુખ્યત્વે ઉદ્દેશ રકતદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી લોકો પાસેથી વધુમાં વધુ પ્રમાણમાં રકતદાન કરાવવાનો છે તે હાલમાં અત્યંત જરૂરી છે હું પણ રકતદાન કરું છું અને ઘણાં રકતદાન કૅમ્પો થયાં જેમાં મેં ચાવીરૂપ ભૂમિકા ભજવી દેશનાં એક નાગરિક તરીકે મેં પણ ફરજ બજાવી છે ત્યારે આ દિવસને લઈને તમે પણ રકતદાન કરજો જરૂરિયાત સમયે લોકોને રક્ત મળી રહેવું જોઈએ અત્યારનો સમય એવો છે કે કોઈની પાસે સમય નથી લોહીની જરૂરિયાત વાળા દર્દીઓને પણ સમયસર સ્વજનો પણ મળતાં નથી આવા સમયે જસદણની બે સંસ્થાઓ ખાસ રકતદાન કેમ્પ યોજી બ્લડ બેંકો છલકાવી દે છે તેમને ખાસ અભિનંદન પાઠવું છું શહેરમાં મોટા ભાગના લોકો હજું પણ રકતદાન પ્રવુતિ અંગે જાગૃત નથી એ આપણી કમનશીબી છે તે કારણોસર રકતદાનને જોઈએ એવો વેગ મળ્યો નથી ત્યારે દરેક સમાજના આગેવાનો વડીલો અને હોદ્દેદારોએ રકતદાન અંગે જાગૃત કરવા ઝુંબેશ હાથ ધરવી તે આજના સમયની માંગ છે છેલ્લે વિજયભાઈ રાઠોડએ આ દિવસની શુભકામના પાઠવી હતી.