એક બાજુ રાજ્ય સરકાર આર. ટી. આઈ. માં બાળકોના પ્રવેશ માટે મથામણ કરે છે બીજી બાજુ જે બાળકોને ખરેખર ભણતર અભ્યાસની જરૂર છે એ બાળકો આમાં ક્યાંય નજરે પડતા નથી. સુરતની વાત કરીએ તો સુરતની દરેક નાની રેસ્ટોરન્ટમા આવા બાળકો પરિવારને મદદરૂપ થવા નોકરી કરે છે . મજુરા ગેટ નવસારી બજાર સ્ટેશન સહિત અનેક વિસ્તારમાં બાળકો ફૂટપાથ પર પોતાના માતાપિતા સાથે પરિવાર સાથે કાયમ જોવા મળે છે શું આ બાળકોને ભણાવવા ના જોઈએ? શું આ બાળકોને અભ્યાસ શિક્ષણની જરૂર નથી.
આમ જોવા જઈએ તો ખરેખર આ બાળકોને જ શિક્ષણની જરૂર છે . પણ આ દિશામાં ખાસ કઈ કામ થતું નથી.
બીજી બાજુ શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરે છે એના વિશે આપણે કેમ કઈ વિચારતા નથી. શાળાઓ ચાલુ થઈ ગઈ છે શાળા તરફથી જુન થી ઓગસ્ટ ૩ મહિનાની ફી, ટર્મ ફી મેઇન્ટેન્સ ફી જેવી જેવી અનેક ફી સ્કુલ ખુલતા જ ભરવી પડે છે જેનો આંકડો જ પાંચથી સાત હજાર થાય છે શાળામાં જંગી ખર્ચા કર્યા પછી પણ બાળકોને ટ્યુશન પર તો મુકવા જ પડે છે. શું શાળામાં શિક્ષણ બરાબર અપાતું નથી? શું શાળાના શિક્ષણમાં ભલીવાર નથી? શાળામાં પાંચ પાંચ કલાક શિક્ષકો શું કરે છે?: ટ્યુશન ક્લાસો તો તાત્કાલિક બંધ કરવાની ખાસ જરૂર છે.
શાળા શરૂ થઈ એટલે ટેક્સબુક, નોટબુક, ગાઈડો, અપેક્ષિત, સ્ટેશનરી સ્કુલ બેગ યુનિફોર્મ બુટ મોજા રીક્ષા કાર ભાડું વિગેરે ખર્ચમાં વાલીઓને ૮ થી ૧૦ હજાર ખર્ચ થાય છે . આ નોટબુક પાઠયપુસ્તકો સ્ટેશનરીવિગેરેના વેચાણ પર કોઈ જાતનો અંકુશ કેમ નથી? દર વરસે અરે હવે તો વરસમાં બે ચાર વાર બેફામ ભાવવધારો થતો રહે છે ને મજબુર વાલીઓ મોંઘવારીની ચક્કીમાં પીસાતા રહે છે.
આવી મોંઘવારીમાં વાલીઓ માંડ માંડ ઘર ચલાવતા હોય છે. જેના બે થી વધુ સંતાનો શાળામાં અભ્યાસ કરતા હોય જે વાલીની માસિક આવક જ પંદર હજાર હોય તો તે કેવી રીતે સંતાનોને ભણાવે? એક બાળક પાછળ સરેરાશ ૧૦ હજાર કરતા વધુ ખર્ચ આ જુન મહિનામાં થાય છે. બે થી વધુ સંતાનોના વાલીની શું હાલત થતી હશે? આ એક વરસ નહી દર વરસનો પ્રોબ્લેમ છે દર વરસની સમસ્યા છે. પાછું ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું લાઇટબીલ કેબલ બિલ મોબાઈલ રિચાર્જ પણ દર મહિને કરાવવું પડે છે તો વાલીઓ આટલા બધા રૂપિયા લાવે ક્યાંથી? દેવું કરીને છોકરા ભણાવવા પડે છે
મોંઘી સ્ટેશનરી મોંઘી નોટબુકો ગાઈડો અપેક્ષિતો શાળાએ નક્કી કરેલી દુકાનમાથી જ ખરીદવી પડે છે કેમ કે શાળા સંચાલકોની જ આ દુકાન હોય છે એટલે ફરજિયાત વધારે રૂપિયા આપી એ જ દુકાનેથી વાલીઓને આ બધું ડબલ ભાવે ખરીદવું પડે છે.
આપણા શિક્ષણમંત્રી શું કરે છે? જિલ્લા શિક્ષણ અધિકારી આવી શાળાઓ સામે ક્યારે પગલા લેશે?
બેવડ વળી ગયેલા વૃક્ષને જોઈ
બાળકે પૂછયું
કેમ અંગુઠા પકડીને ઊભું છે?
તે લેશન નહોતું કર્યું?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫