WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં મતદાન મથકમાં કોઈ મતદાર કે કર્મચારી મોબાઈલ લઈ જઈ શકશે નહી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન મથક પર કોઈ મતદાર કે કર્મચારી મોબાઈલ લઈ જઈ શકશે નહી એમ રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાય રહી છે ત્યારે આ અંગે તંત્ર શનિવારે મતદાન મથકોનો કબજો લઈ લેશે તે પૂર્વે કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન યોજાશે જસદણ નગરપાલિકામાં કુલ મળીને ૪૪ બુથ છે જેમાં ૧૪ બુથ સંવેદનશીલ હોય તે અનુસંધાને પોલીસતંત્રએ ફ્લેગમાર્ચ કરી હતી.
અને ચુંટણીના દિવસે પણ એકશનમાં રહેશે આ અંગે ૧ ડી વાયએસપી ૧ પીઆઈ ૭ પીએસઆઈ હોમગાર્ડ મળીને ૨૧૨ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો